Gujarati News

Gujarati News

News of Saturday, 21st December 2019

" રીક્ષા રન 2019 " : કન્યાકુમારી ટુ કર્ણાવતીના લક્ષ્યાંક સાથે 30 રિક્ષામાં 94 NRIનો 2500 કી.મી.નો પ્રવાસ : શ્રવણ શક્તિ ઓછી ધરાવતા લોકો માટે પૂનામાં હોસ્પિટલ બાંધવા સેવા યુ.કે.ના ઉપક્રમે ફંડ ભેગુ કરવાનો હેતુ

અમદાવાદ : યુ.કે.ના  બર્મિંગહામ સ્થિત નોનપ્રોફિટ ઓર્ગેનાઈઝેશન સેવા યુ.કે.ના ઉપક્રમે શ્રવણ શક્તિ ઓછી ધરાવતા લોકો માટે પૂનામાં હોસ્પિટલ બાંધવા ફંડ ભેગુ કરવા  " રીક્ષા રન 2019 " અભિયાન હાથ ધરાયુ છે.જે અંતર્ગત ભારતના  કન્યાકુમારી ટુ  કર્ણાવતીના લક્ષ્યાંક સાથે 30 રિક્ષામાં 94 NRIએ   2500 કી.મી.નો પ્રવાસ 12 દિવસમાં પૂરો કર્યો છે.

આ સેવાકીય અભિયાનમાં યુ.કે.ઉપરાંત ઓસ્ટ્રેલિયા કેન્યા સહિતના દેશોના 94 NRI જોડાયા છે.જેઓને RSS સંચાલિત સેવાભારતીનો સહયોગ પ્રાપ્ત થયો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)