Gujarati News

Gujarati News

News of Friday, 16th March 2018

‘‘યુથ શિબિર ૨૦૧૮'': અમેરિકામાં શ્રીસ્‍વામિનારાયણ મંદિર લોયાધામના ઉપક્રમે આગામી ૨૮ જુનથી ૧ જુલાઇ ૨૦૧૮ દરમિયાન કરાયેલુ આયોજનઃ ‘‘રાજીપો''નામથી ઓળખાનારી આ શિબિર મેકન જયોર્જીયા મુકામે યોજાશેઃ શિબિરમાં જોડાવા માટે રજીસ્‍ટ્રેશન શરૂ

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ અમેરિકામાં શ્રી સ્‍વામિનારાયણ મંદિર, લોયાધામના ઉપક્રમે આગામી ૨૮ જુનથી ૧ જુલાઇ ૨૦૧૮ દરમિયાન મેકન જયોર્જીયા મુકામે ‘‘યુથ શિબિર ૨૦૧૮'' નું આયોજન કરાયું છે પૂજય શાસ્‍ત્રીશ્રી ઘનશ્‍યામપ્રકાશદાસજી સ્‍વામીની પ્રેરણાથી આયોજીત આ શિબિરમાં ભાવિ પેઢીના ઘડતર માટે છેલ્લા સાત વર્ષથી યોજાતી આ શિબિર અંતર્ગત ૨૦૧૮ની સાલની શિબિર ‘‘રાજીપો'' નામથી ઓળખાશે. જે ભગવાન શ્રી સ્‍વામિનારાયણના ઉપદેશ અનુસાર આચરણ તથા સત્‍સંગ દ્વારા તેમનો રાજીપો મેળવવાના હેતુથી નામ નક્કી કરાયું છે.

શિબિરમાં ભાગ લેવા માટે રજીસ્‍ટ્રેશન શરૂ કરી દેવાયું છે. જે માટે @theswaminarayan.org દ્વારા સંપર્ક સાધવા શ્રી સ્‍વામિનારાયણ મંદિર લોયાધામની યાદીમાં જણાવાયું છે.

(11:16 pm IST)