Gujarati News

Gujarati News

News of Tuesday, 16th June 2020

કોરોના : સ્પેનમાં છેલ્લા 7 દિવસમાં એકપણ મોત નહીં : ભારતની સાથે જ સંક્રમિત થયેલો દેશ હતો

મૈડ્રિડ : ભારતની સાથોસાથ સંક્રમિત થયેલા દેશ સ્પેનમાં છેલ્લા 7 દિવસમાં કોરોના વાઇરસને કારણે એકપણ મોત થયું નથી તેવો સરકારે દાવો કર્યો છે.

જોકે સરકારના આ દાવા અંગે વિપક્ષો અને નિષ્ણાતોએ શંકા વ્યક્ત કરી છે.જેને સરકારે નકારી કાઢી છે.

ઉલ્લેખનીય છે કે સ્પેનમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસને કારણે 27 હજાર ઉપરાંત લોકો મૃત્યુ પામ્યા છે.તથા સંક્રમિત થયેલા લોકોની સંખ્યા 2 લાખ 91હજારને વટાવી ગયેલી છે.

 

(12:47 pm IST)