Gujarati News

Gujarati News

News of Monday, 15th June 2020

બાળપણમાં હું પણ રંગભેદનો ભોગ બન્યો છું : બ્રિટનમાં રંગભેદ વિરુદ્ધ થઇ રહેલા દેખાવો અંગે ભારતીય મૂળના ફાઇનાન્સ મિનિસ્ટર શ્રી ઋષિ સુનકનો પ્રતિભાવ

લંડન : અમેરિકામાં અશ્વેત યુવાનની શ્વેત પોલીસના હાથે થયેલી હત્યાના પડઘા સમગ્ર વિશ્વમાં પડ્યા છે.જેમાં બ્રિટન પણ બાકાત નથી.જ્યાં રંગભેદ વિરુદ્ધ દેખાવો કરાયા હતા.જે અંતર્ગત બ્રિટનના ફાઇનાન્સ મિનિસ્ટર ભારતીય મૂળના શ્રી ઋષિ સુનકને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે બાળપણમાં હું પણ રંગભેદનો ભોગ બનેલો છું.જે બાબત હજુ સુધી મારા દિલમાં કોતરાયેલી છે.
બ્રિટનમાં જન્મેલા શ્રી સુનકે રંગભેદ વિરુદ્ધ દેખાવોએ લીધેલા હિંસક સ્વરૂપથી નારાજગી વ્યક્ત કરી હતી.તેમજ ઉમેર્યું હતું કે વર્ષો પહેલાની અને હાલની પરિસ્થિતિમાં ઘણો ફેર છે.હવે આ બાબતે ઘણો સુધારો થઇ ગયો છે.

(11:39 am IST)