Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd January 2019

વડોદરામાં NRI મહિલાની મિલકત પચાવી પાડવાના આરોપસર મુખ્યમંત્રી સમક્ષ રાવ : પોલીસ તંત્ર તથા કૌભાંડીઓની મીલીભગત હોવાનો આક્ષેપ : CBI ને તપાસ સોંપવા અપીલ કરાઈ

વડોદરા : વડોદરામાં NRI મહિલાની મિલકત પચાવી પાડવાના આરોપસર મુખ્યમંત્રીને  NRI ઇન્દ્રવદન પટેલએ પત્ર લખી  રાવ કરી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.પોલીસ તંત્ર તથા કૌભાંડીઓની મીલીભગત હોવાના આક્ષેપ સાથે કરાયેલી આ ફરિયાદમાં બનાવટી પાવર ઓફ એટર્ની બનાવી કૌભાંડ આચર્યાનું જણાવાયું છે.જે અંગે છેલ્લા પાંચ માસથી પોલીસ તંત્ર સમક્ષ ફરિયાદ કરી હોવા છતાં બધા આરોપીઓને પકડવામાં આવ્યા નથી તેમજ પકડાયેલા બે આરોપીઓને પણ જામીન ઉપર છોડી દેવાયા હોવાનું જણાવાયું છે.

 ઉલ્લેખનીય છે કે આ પ્રોપર્ટીની કિંમત કરોડો રૂપિયામાં ગણાય છે.તેથી આ અંગે  CBI ને તપાસ સોંપવા અપીલ કરાઈ છે.

(6:24 pm IST)