Gujarati News

Gujarati News

News of Monday, 31st October 2022

મોરબીની હોસ્‍પીટલોમાં લાશોના ઢગલાઃ મૃતકોનાં પરિવારજનોનું હૈયાફાટ રૂદ્‌નઃ બિહામણા દ્રશ્‍યો

મોરબીની કાળજુ કંપાવતી ‘પૂલ દુર્ઘટના' માં અત્‍યાર સુધીમાં ૧૮૦ થી વધુ લોકોના જીવ ગયા છે. નવા વર્ષની ઉજવણીમાં મસ્‍ત લોકોને કયાં ખબર હતી કે આ પૂલ મોતનો પૂલ બનવાનો છે. ભ્રષ્‍ટાચારીઓના પાપે નિર્દોષ લોકો કાળનો કોળીયો બની ગયા છે. દુઘર્ટના બાદ મૃતદેહોને મોરબીની હોસ્‍પીટલમાં લવાયા તેની આ તસ્‍વીર હૈયુ હચમચાવી દયે તેવી છે. તસ્‍વીરમાં લાશોના ઢગલા વચ્‍ચે પોતાના મૃત પરિવારજનોને શોધતા લોકોનું આક્રંદ સૌ કોઇને રડાવી દયે તેવું હતું. કુલ ૪૭ થી વધુ લોકોની ઓળખ થઇ ચૂકી છે. બીજી તસ્‍વીર હોસ્‍પીટલમાં ઓળખવિધીની રાહ જોતા મૃતદેહો દ્રષ્‍ટીગોચર થાય છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

 

(10:57 am IST)