Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

દેશમાં કોરોનાના નવા 44.725 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 56.793 દર્દીઓ રિકવર થયા : વધુ 917 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.99.404 થયો :એક્ટિવ કેસ ઘટીને 5.18.724 થયા : કુલ કેસની સંખ્યા 3.04.06.887 થઇ

સૌથી વધુ કેરળમાં 13.658 કેસ,મહારાષ્ટ્રમા 9771 કેસ,તામિલનાડુમાં 4506 કેસ, આંધ્રપ્રદેશમાં 3797 કેસ,કર્ણાટકમાં 3382 કેસ,ઓરિસ્સામાં 3371 કેસ,પશ્ચિમ બંગાળમાં 1478 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ 3.50 લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા  છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે   આજે દેશમાં કોરોનાનાં નવા 45.641 કેસ નોંધાયા છે. જ્યારે 44.725 દર્દીઓ રિકવર થયા છે, દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા. જ્યા સરકારનાં કડક વલણ બાદ હવે કોરોનાનાં નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. જેની અસર હવે દેશમાં આવતા દૈનિક કેસનાં આંકડામાં જોવા મળે છે.

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 44.725 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 917 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 3,99.404 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 44.725 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 3.04.06.887 થઇ છે  એક્ટિવ સંખ્યા ઘટીને 5.18.724 થઇ છે છેલ્લા 24 કલાકમાં 56.793 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 2,94.76.821 લોકોએ કોરોનાને મહાત આપી છે
દેશમાં સૌથી વધુ કેરળમાં 13.658 કેસ,મહારાષ્ટ્રમા 9771 કેસ,તામિલનાડુમાં 4506 કેસ, આંધ્રપ્રદેશમાં 3797 કેસ,કર્ણાટકમાં 3382 કેસ,ઓરિસ્સામાં 3371 કેસ,પશ્ચિમ બંગાળમાં 1478 કેસ નોંધાયા છે

(1:13 am IST)