Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

કાશમીરના હરામીનાલામાં વાહન ખાબકતા ૪ પ્રવાસીના મોત

 જમ્મુ : શ્રીનગર જતા રસ્તામાં આવતા ખૂની નાલામાં એક પ્રવાસી વાહન ખાબકતા ૪ પ્રવાસીઓના મોત થયા છે.

રામબન જીલ્લામાં જમ્મુ - શ્રીનગર નેશનલ હાઈવે ઉપર જમ્મુથી શ્રીનગર જઈ રહેલ એક વાહન ઉંડી ખીણમાં ખાબકતા ૪ પ્રવાસીઓના મોત થયા છે. જેમાં બે વર્ષનું બાળક અને બે મહિલાનો સમાવેશ થાય છે. જયારે ૪ શ્રમિકોને ઈજા થઈ છે. તમામ લોકો છત્તીસગઢના છે.

(4:36 pm IST)