Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

અમેરિકાના ભારત ખાતેના વચગાળાના રાજદૂત તરીકે ઇન્ડિયન અમેરિકન શ્રી અતુલ કેશપની નિમણુંક : વિદેશ ડિપાર્ટમેન્ટનો બહોળો અનુભવ ધરાવતા શ્રી અતુલને પંજાબ સાથે ખાસ નાતો

ન્યુદિલ્હી : અમેરિકાના ભારત ખાતેના વચગાળાના રાજદૂત તરીકે ઇન્ડિયન અમેરિકન શ્રી અમિત કેશપની નિમણુંક થઇ છે.  તેઓ વિદેશ ડિપાર્ટમેન્ટનો બહોળો અનુભવ ધરાવે છે. તથા પંજાબ સાથે તેમનો વિશેષ નાતો છે.

ભારત ખાતેના પૂર્વ રાજદૂત ડેનિયલ સ્મિથ સેવા નિવૃત થતા શ્રી અમિતને હાલની તકે તેમનો ચાર્જ સોંપવામાં આવશે . તેઓ ભારત આવવા માટે રવાના થઇ ગયા છે.

શ્રી અતુલનો જન્મ 1971 ની સાલમાં નાઇજીરિયામાં થયો હતો.તેમના પિતાશ્રી કેશપ ચંદર  પંજાબના વતની હતા.તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે

(1:45 pm IST)