Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

નવી લોન ગેરંટી અર્થવ્યવસ્થાને ફરી પાટા પર લાવી શકશે?

મોદી સરકારે કોરોના પ્રભાવિત સેકટરોની મદદ માટે ૩૫ અબજ ડોલરની નવી લોન ગેરંટીની જાહેરાત કરી છેઃ પરંતુ ઈન્ડસ્ટ્રીના જાણકારો અને અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે, તેનાથી માત્ર કામચલાઉ રાહત મળશે : ઈન્ડસ્ટ્રીઝના કહેવા મુજબ, સરકારે લોકોમાં વધારે વિશ્વાસ ઊભો કરવાની જરૂર છે, જેથી વેચાણમાં સ્થાયી માંગ ઊભી કરી શકાય

નવી દિલ્હી,તા. ૩૦: મોદી સરકારે કોરોનાથી પ્રભાવિત સેકટર્સની મદદ માટે ૩૫ અબજ ડોલરની નવી લોન ગેરંટીની જાહેરાત કરી છે. સોમવારે નાણા મંત્રી નિર્મલા સીતારમણે આ જાહેરાત કરી હતી. તેમાં ૧.૧ લાખ કરોડ રૂપિયની લોન ગેરંટી સ્કીમ હેલ્થ, ટૂરિઝમ અને નાના ઉદ્યોગો માટે છે. સાથે જ સરકારે ભારત આવનારા પહેલા ૫ લાખ વિદેશી પ્રવાસીઓની વીઝા ફી પણ માફ કરવાની જાહેરાત કરી છે. પરંતુ, ઈન્ડસ્ટ્રીના જાણકારો અને અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે, તેનાથી કામચલાઉ રાહત મળી શકે છે, પરંતુ ઈકનોમિક ગ્રોથમાં તેજી લાવવા માટે તે પૂરતું નથી.

ભારતે ઈકોનોમીને કોરોના સંકટના પડકારોમાંથી બહાર કાઢવા માટે વિકસિત દેશોની જેમ સ્ટીમ્યુલસ પેકેજની જાહેરાત નથી કરી, પરંતુ ઈન્ફ્રાસ્ટ્રકચરમાં વધુ રૂપિયા નાખ્યા છે. કોરોના પ્રભાવિત ઉદ્યોગોને બેંક લોન આપવા માટે ગેરંટી આપી છે અને ગરીબોને મફત અનાજ વહેંચ્યું છે. Emkay Global financial Servicesના લીડ ઈકોનોમિસ્ટ માધવી અરોડાએ કહ્યું કે, મોટાભાગના ફિસ્કલ સપોર્ટ આશા મુજબના નથી અને લોન ગેરંટીના રૂપમાં છે. આ ડાયરેકટ સ્ટીમ્યુલસ નથી.

મૂડીઝના ભારતીય યુનિટ ઈક્રાના ચીફ ઈકોનોમિસ્ટ અદિતિ નાયરે કહ્યુ કે, નવા ઉપાયોથી સરકારી ખજાના પર લગભગ ૬૦ હજાર કરોડ રૂપિયાનો બોજ પડશે અને તેની સફળતા વાસ્તવિક ખર્ચ પર નિર્ભર કરશે. દેશમાં વેકિસનેશનની ધીમી ગતિ અને કોરોનાના નવા ડેલ્ટા વેરિયન્ટના પ્રકોપને કારણે અર્થશાસ્ત્રીઓએ વર્તમાન નાણાકીય વર્ષ માટે જીડીપી ગ્રોથનો અંદાજ ઘટાડીને ૭.૫થી ૮ ટકા કરી દીધો છે, જે પહેલા ૧૦થી ૧૧ ટકા હતો.

ઈન્ડસ્ટ્રીઝ અને વિપક્ષના નેતાઓએ માગ વધારવા માટે પેટ્રોલ અને ડીઝલ પર ટેકસમાં દ્યટાડો અને ગરીબોને કેશ ટ્રાન્સફર કરવાની માગ કરી છે. ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના સીનિયર વાઈસ પ્રેસિડન્ટ સંજીવ મેહતાએ કહ્યું કે, લોકોમાં વિશ્વાસ ઊભો કરવાની જરૂર છે, જેથી વેચાણમાં સ્થાયી માગ ઊભી કરી શકાય.

જાન્યુઆરી-માર્ચ કવાર્ટરમાં દેશનો ઈકોનોમિક ગ્રોથ રેટ ૧.૬ ટકા રહ્યો હતો, પરંતુ આ કવાર્ટરન લઈને ઈકોનોમિસ્ટમાં આશંકા છે. એપ્રિલ-મેમાં કોરોનાની બીજી લહેરના કારણે આર્થિક ગતિવિધિઓ પ્રભાવિત થઈ હતી. આરબીઆઈએ વ્યાજ દરોને યથાવત રાખ્યા છે અને રિટેલ મોંદ્યવારીમાં વધારા છતાં ગ્રોથને સપોર્ટ કરવા માટે રોકડ ઉપાય કર્યા છે.

(10:07 am IST)