Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

યુ.એસ.માં જયોર્જટાઉન એરીયા એડવાઇઝરી નેઇબરહૂડ કમિશ્નર તરીકે શ્રી કિશાન પુટ્ટાનો સોગંદવિધિ સંપન્નઃ છેલ્લા ૧૪ વર્ષથી ચૂંટાઇ આવતા ઉમેદવારને ૬૮ ટકા મતોની બહુમતિથી પરાસ્ત કરનાર ઇન્ડિયન અમેરિકન શ્રી કિશાન પુટ્ટાએ ટાઉનના સવાઁગી વિકાસ માટેના સોગંદ લીધા

વોશીંગ્ટન ડીસીઃ યુ.એસ.ની રાજધાની વોશીંગ્ટન ડીસીના જયોર્જટાઉન એરીઆના એડવાઇઝરી નેઇબરહૂડ કમિશ્નર તરીકે ઇન્ડિયન અમેરિકન શ્રી કિશાન પુટ્ટાનો સોગંદવિધિ ર જાન્યુ.૨૦૧૯ના રોજ યોજાઇ ગયો.

તેઓ નવેં.૨૦૧૮માં યોજાયેલી આ પદની ચૂંટણીમાં ૬૮ ટકા મતોથી વિજેતા થયા હતા. તેમણે છેલ્લા ૧૪ વર્ષથી ચૂંટાઇ આવતા એડ સોલોમનને પરાસ્ત કર્યા હતા. તેઓ આ ટાઉનમાં સ્કૂલ્સ, પાર્કસ, ટ્રાન્સપોર્ટેશન, હાઉસીંગ, તથા આર્થિક વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે.

(9:19 pm IST)