Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

ગાયોની ખુલ્લે આમ કત્લેઆમને લીધે કેરળમાં ભયાનક પૂર આવ્યા

કર્ણાટકના ભાજપ સાંસદનું વિવાદિત કથન

બેંગલુરૃઃ હંમેશા વિવિદીત નિવેદનોથી ચર્ચામાં રહેનાર કર્ણાટકના વિજયપુરથી ભાજપ સાંસદ યતનાલે ફરી વિવાદીત નિવેદન આપતા જણાવેલ કે કોઈને પણ કોઈની ધાર્મિક ભાવનાઓ સાથે ખીલવાડ ન કરવો જોઈએ. હવે કેરળને જ જોવો, ત્યાં શું થઈ રહ્યું છે? તેઓ ખુલ્લે આમ ગાયોની હત્યા કરતા હતા. એક વર્ષથી ઓછા સમયમાં આ સ્થિતિ થઈ છે. જે કોઈ હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડશે, તેને આ પ્રકારનો જ દંડ મળશે અને આવું જ પરિણામ ભોગવશે.(૩૦.૧૨)

(3:36 pm IST)