Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

30મીએ પીએમ મોદીનો શપથ ગ્રહણ સમારોહ : કમલ હસનને મળ્યુ આમંત્રણ !!

dir="ltr">
લોકસભાની ચૂંટણીમાં પ્રચડ બહુમતી મેળવ્યા બાદ નરેન્દ્રભાઈ મોદી એકવાર ફરી વડાપ્રધાન પદની શપથ લેવાના છે 30 તારીખે આ શપથ ગ્રહણ સમારોહમાં ભાજપ સહિતનાં અન્ય પાર્ટીનાં નેતાઓ પણ પોતાની હાજરી આપી શકે છે. ત્યારે આ સમારોહમાં હાજરી આપવા મક્કલ નિધિ મય્યમનાં અધ્યક્ષ અને અભિનેતા કમલ હસનને આમંત્રણ આપવામાં આવ્યુ છે.
    લોકસભાની ચૂંટણી દરમિયાન પોતાના નિવેદનોથી લાઇમ લાઇટમાં આવેલા કમલ હસનને આ વખતે વડાપ્રધાનના શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યુ છે. તમિલનાડુંમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કમલ હસને એક નિવેદન આપ્યુ હતુ. તેમણે નાથૂરામ ગોડસેને ટાર્ગેટ કરતા કહ્યુ હતુ કે, ભારતનો પહેલો આતંકવાદી હિંન્દુ જ હતો.
(12:03 am IST)