Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

નરેન્દ્રભાઇ અને અમિતભાઇને આશિર્વાદ પાઠવતા પૂ.મહંત સ્વામી મહારાજ

ભાવનગર તા. ર૭ : પૂ.મહંત સ્વામીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઇ શાહને ભાજપના ભવ્ય જીતના વધામણા કર્યા હતા.

પૂ.મહંત સ્વામીએ જણાવ્યું કે સમગ્ર દેશમાં વિકાસ અને વિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે. આપ અને આપના સાથીઓ શ્રી અમીતભાઇ ઉપરાંત સર્વે સ્વયંસેવકોના નિસ્વાર્થ અને અથાગ પુરૂષાર્થ પ્રાર્થનાથી ભગવાને વિજયી બનાવ્યા છ.ે

આપના ઉપર ભગવાન તથા તમામ સંતો, સત્પુરૂષોની અખંડ દ્રષ્ટી રહે. આપનું સ્વાસ્થ્ય સદાય સારૂ રહે. નાના મોટા સૌનો સહકાર મળે દેશ અને પ્રદેશમાં સંપ, સુહૃદયભાવ અને એકતાનુ વાતાવરણ સર્જાય ખાસ ભારત દેશ, ભારતીય સંસ્કૃતિ, ધર્મના મુલ્યો ત્થા દેશવાસીઓનો વિકાસ થાય. વિશ્વમાં દેશની પ્રતિષ્ઠા વધે અને સાચી પ્રગતિ થાય. સૌના શુભ સંકલ્પો અને સ્વપ્નાઓ સિદ્ધ થાય તે માટે અંતરથી ભગવાન સ્વામિનારાયણ અને ગુરૂહરિ પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના તેમ પૂ. મહંતસ્વામીએ  જણાવ્યું હતું.

(11:54 am IST)