Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

નેપાળમાં ત્રણ વિસ્ફોટ ;ચાર લોકોના મોત :સાત ઘાયલ

કાઠમંડુમાં એક અને સરહદ નજીક બે વિસ્ફોટ :બંને સ્થળોએ ઘેરાબંધી

નેપાળની રાજધાની કાઠમંડુમાં થયેલા ત્રણ વિસ્ફોટોમાં ચાર લોકોનાં મોત નિપજ્યા છે જયારે સાત લોકોને ઈજા પહોંચી છે.

નેપાળની સ્થાનિક ટીવી ચેનલ અનુસાર કાઠમંડુ શહેરમાં એક અને સરહદ નજીકના વિસ્તારોમાં બે વિસ્ફોટ થયા છે.

નેપાળી અખબાર 'હિમાલયન ટાઇમ્સ'એ પોલીસના હવાલાથી જણાવ્યું છે કે વિસ્ફોટ પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

પોલીસનું કહેવુ છે કે આ વિસ્ફોટો 'ઇમ્પ્રુવાઇઝ્ડ ઍક્સપ્લોઝિવ ડિવાઇસ'ની મદદથી કરવામાં આવ્યા છે.સુરક્ષાદળોએ બંને સ્થળની ઘેરાબંધી કરી દીધી છે અને તપાસ ચાલી રહી છે.

એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ઘટનાસ્થળેથી માઓવાદી જૂથ સાથે સંકળાયેલા કાગળ મળ્યા છે. જોકે, હજુ સુધી કોઈ જૂથે આ વિસ્ફોટોની જવાબદારી સ્વીકારી નથી.

(11:12 am IST)