Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

શ્રીલંકામાં થયેલા આતંકવાદી હુમલાને ધ્યાને લઇ બ્રિટન તથા ઓસ્ટ્રેલિયાએ પોતાના નાગરિકોને શ્રીલંકાનો પ્રવાસ ટાળવાની સલાહ આપી

કોલંબો : ખાસ જરૂરી કામ સિવાય શ્રીલંકાના પ્રવાસે નહીં જવા બ્રિટન તથા ઓસ્ટ્રેલિયાની સરકારે પોતાના નાગરિકોને સલાહ આપી છે.જેમાં જણાવાયા મુજબ ઇસ્ટર્નમાં થયેલા હુમલાથી 253 વિદેશી નાગરિકોના મોત થયા છે.તથા 500 ઉપરાંત નાગરિકો ગંભીર રીતે ઘાયલ થયા છે.એટલુંજ નહીં હજુ પણ વધુ હુમલા થવાની શક્યતાઓ હોવાથી શ્રીલંકાનો પ્રવાસ ટાળવા તેમજ ભીડભાડવાળી જગ્યાઓ ઉપર નહીં જવા અનુરોધ કર્યો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:45 pm IST)