Gujarati News

Gujarati News

News of Thursday, 26th July 2018

મોદી સરકાર આર્થિકતાના આધાર પર આપશે અનામત?

તમામ જ્ઞાતિઓમાં આર્થિક રીતે નબળા અને પછાત લોકોને અનામત આપવા વિચારણા

 

નવી દિલ્હી :મોદી સરકાર આર્થિક આધાર પર અનામત આપવાનું વિચારી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકાર તમામ જ્ઞાતિઓમાં આર્થિક રીતે નબળા અને પછાત લોકોને અનામત આપવાનો વિચાર કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, દેશના અનેક સમુદાયોમાં અનામતને લઈ માંગો ઉઠી રહી છે. તેમજ હિંસક આદોલનો થઈ રહયા છે. બીજી બાજુ નેતાઓ પોતાની વોટબેંક જાળવી રાખવા ઠાલા વચનો આપે છે.

(10:10 pm IST)