Gujarati News

Gujarati News

News of Thursday, 26th July 2018

દરેક હિન્દૂ ઓછામાં ઓછા પાંચ બાળકો પેદા કરશે ત્યારે જ બચશે હિન્દૂત્વ :ભાજપના ધારાસભ્યનો બફાટ

 

લખનૌ ;લાંબા સમયથી સતત વિવાદી નિવેદન કરતા ભાજપના ધારાસભ્ય સુરેન્દ્રસિંહએ વધુ એક વિવાદી નિવેદન કર્યું છે તેઓએ કહ્યું કે હિન્દુઓની વસ્તી વધવી જોઈએ એટલા માટે જરૂરી છે કે દરેક હિન્દૂ ઓછામાં ઓછા પાંચ બાળકો પેદા કરે, સુરેન્દ્રસિંહ યુપીના બલિયા જિલ્લાના બૈરીયા સીટના ભાજપના ધારાસભ્ય છે

    હિન્દુઓની વસ્તી અંગે સુરેન્દ્રસિંહે કહ્યું કે હિન્દુઓની વસ્તી વધવી જોઈએ દરેક મહંતની ઈચ્છા છે કે ઓછાઆમ ઓછા પાંચ બાળકો પેદા કરે તો ભારતિય તાકાત જળવાઈ રહેશે હિન્દુસ્તાનમાં હિન્દુત્વ જળવાઈ રહશે

   ભાજપના ધારાસભ્યે કહ્યું કે જિન્નાહને આતંકી નહીં કહું પરંતુ રાષ્ટ્રવિરોધી ચિંતનના વ્યક્તિ કહીશ ,આતંકી એટલા માટે નહીં કહું કારણ કે સ્વાતંત્ર આંદોલનમાં જિન્ના પણ સહયોગી હતા જિન્ના પછીથી પાકિસ્તાન ચાલ્યા ગયા તેઓએ ભારતને કયારેય પોતાનો દેશ માન્યો નથી પાકિસ્તાન પરસ્ત લોકોને ભારતની ધરતી પર સન્માન નહિ મળવું જોઈએ'

 

(9:05 am IST)