Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

તિરંગાને અપાઈ 21 તોપની સલામી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી મોદીએ તિરંગાને સલામી આપીને રાષ્ટ્રને વંદન કર્યાં: જવાનોનું શૌર્ય પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું

ભારત આ વર્ષે 26મી જાન્યુઆરીએ તેનો 73મો ગણતંત્ર દિવસ ઉજવવા જઈ રહ્યું છે

 

નવી દિલ્લીઃ ભારત આજે પોતાનો 73 મો પ્રજાસત્તાક દિવસ મનાવી રહ્યો છે. આજના દિવસે દિલ્હીના રાજપથ ખાતે રાફેલથી લઈને સુખોઈ સુધીના યુદ્ધ જહાજોનું પ્રદર્શન કરીને ભારત પોતાની શક્તિની ઝલક દુનિયાને બતાવવામાં આવ્યું. વિવિધ રાજ્યોની સંસ્કૃતિ અને વિવિધતામાં એકતાનું પ્રતિબિંબ દર્શાવતી ઝાંખીઓ પણ રાજપથ પરેડ દરમ્યાન આકર્ષણનું કેન્દ્ર બની રહી. સાથે સેનાની ત્રણેય પાંખના ઝાંબાજ જવાનો પણ પોતાના કરતાબો દર્શાવીને ગણતંત્ર દિવસની ઉજવણીને વધુ શાનદાર બનાવ્યો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી મોદીએ તિરંગાને સલામી આપીને રાષ્ટ્રને વંદન કર્યાં. પ્રસંગે જવાનોનું શૌર્ય પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું.

પરેડના સમયમાં કરાયું પરિવર્તન-

સૌથી પહેલા તમને જણાવી દઈએ કે વર્ષે ધુમ્મસને જોતા રાજપથ પર પરેડ અને ફ્લાયપાસ્ટ ડેમોસ્ટ્રેશન અડધો કલાક મોડું એટલે કે સવારે 10.30 વાગ્યે શરૂ થશે. દર વર્ષે કાર્યક્રમ સવારે 10 વાગ્યે શરૂ થતો હતો. રીતે, કોરોના રોગચાળાને કારણે ગયા વખતની જેમ વર્ષે 2022 માં પણ કોઈ વિદેશી મુખ્ય અતિથિને આમંત્રણ આપવામાં આવ્યું નથી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી છે.પ્રજાસત્તાક દિવસની પરેડની ઉજવણી PM મોદીની રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાત સાથે શરૂ થશે. PM મોદી બહાદુર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે દેશનું નેતૃત્વ કરશે. પછી, પ્રધાનમંત્રી પરેડ જોવા માટે રાજપથ પર સલામી પ્લેટફોર્મ તરફ જશે.

પરંપરા મુજબ, રાષ્ટ્રગીત પછી રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવશે અને 21 તોપોની સલામી આપવામાં આવશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સલામી લઈને પરેડની શરૂઆત થશે. પરેડની કમાન્ડ બીજી પેઢીના લશ્કરી અધિકારી, પરેડ કમાન્ડર, લેફ્ટનન્ટ જનરલ વિજય કુમાર મિશ્રા, અતિ વિશેષ સેવા મેડલ કરશે. દિલ્હી ક્ષેત્રના ચીફ ઓફ સ્ટાફ, મેજર જનરલ આલોક કાકર પરેડના સેકન્ડ-ઈન-કમાન્ડ હશે.

પ્રજાસત્તાક દિવસ પરેડમાં રાફેલથી સુખોઈ સુધીના 75 વિમાન બતાવવામાં આવશે. સાથે પરેડમાં કાશી વિશ્વનાથની ઝાંખી પણ જોવા મળશે. વર્ષે પ્રજાસત્તાક દિવસ કંઈક ખાસ છે. વાસ્તવમાં દેશ આઝાદીના 75મા વર્ષની ઉજવણી કરી રહ્યો છે. અંતર્ગત દેશભરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. અવસર પર દિલ્હીના રાજપથ પર વિશેષ ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. કોવિડ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને ઉજવણી કરવામાં આવશે. ભારતના ગૌરવની ઝલક આજે અહીં જોવા મળશે.

ભારત વર્ષે 26મી જાન્યુઆરીએ તેનો 73મો ગણતંત્ર દિવસ ઉજવવા જઈ રહ્યું છે. 1950માં દિવસે દેશનું બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું. વખતે પ્રજાસત્તાક દિવસની પરેડમાં 16 લશ્કરી ટુકડીઓ, 17 લશ્કરી બેન્ડ, વિવિધ રાજ્યોની 25 ઝાંખીઓ, વિભાગો અને લશ્કરી દળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમાં કાશી વિશ્વનાથ ધામની ઝાંખી પણ જોવા મળશે.

બીજી વખત છે જ્યારે વારાણસી સાથે સંબંધિત ઝાંખી રાજપથ પર જોવા મળશે. તે સમયે, પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશને સંબોધન કર્યું. આજના દિવસે ITBPના હિમવીરોએ 15000 ફૂટની ઉંચાઈ પર ત્રિરંગો ફરકાવ્યો અને ગણતંત્ર દિવસની ઉજવણી કરી. લદ્દાખ સરહદ પર -35 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં પણ સૈનિકો દેશની સરહદોની સુરક્ષા માટે તૈનાત છે.

ફ્લાય પાસ્ટમાં ભાગ લેશે 75 લડાકુ વિમાન-

વખતે ભારતીય વાયુસેનાના 75 વિમાન ફ્લાય પાસ્ટમાં ભાગ લેશે. રાફેલ, સુખોઈ, જગુઆર, એમઆઈ-17, સારંગ, અપાચે અને ડાકોટા જેવા જૂના અને વર્તમાન આધુનિક એરક્રાફ્ટ/હેલિકોપ્ટર રાહત, મેઘના, એકલવ્ય, ત્રિશુલ, તિરંગા, વિજય અને અમૃત સહિતની વિવિધ રચનાઓ પ્રદર્શિત કરશે. પ્રથમ વખત, પરેડ દરમિયાન રાજપથ પર 75 મીટર લંબાઇ અને 15 ફૂટ ઊંચાઇના 10 સ્ક્રોલ પ્રદર્શિત કરવામાં આવશે. 10 મોટી એલઈડી સ્ક્રીન લગાવવામાં આવશે જેના પર પરેડ જોઈ શકાશે.

દેશભરમાં અમૃત મહોત્સવની ઉજવણી-

વર્ષે પ્રજાસત્તાક દિવસ કંઈક ખાસ છે. વાસ્તવમાં દેશ આઝાદીના 75મા વર્ષની ઉજવણી કરી રહ્યો છે. અંતર્ગત દેશભરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રસંગે સંરક્ષણ મંત્રાલય દ્વારા પરેડમાં કેટલીક નવી ઝાંખીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

(11:16 am IST)