Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

કાશ્મીરમાં લોકો સ્વતંત્ર રીતે ફરી રહ્યા છે : જનરલ બિપિન રાવત

નિયંત્રણોની વાત કરનાર ખોટા

રામગઢ,તા.૨૫:જમ્મુ કાશ્મીરના સંદર્ભમાં જનરલ બિપિન રાવતે આજે કહ્યું હતું કે, ખીણમાં લોકો સ્વતંત્ર રીતે ફરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, જે લોકો નિયંત્રણો લાગુ થયેલા છે તેવા દાવા કરી રહ્યા છે તે ખોટા છે. તેમનું અસ્તિત્વ આતંકવાદીઓ પર આધારિત છે. જનરલ બિપિન  રાવતે કહ્યું હતું કે, કાશ્મીર ખીણમાં સ્થિતિ હવે સામાન્ય બની ચુકી છે.

         ઝારખંડના રામગઢમાં પંજાબ બટાલિયનમાં એક કાર્યક્રમમાં પહોંચેલા જનરલ રાવતે આ મુજબની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, કાશ્મીર ખીણમાં લોકો સ્વતંત્ર રીતે ફરી રહ્યા છે. નિયંત્રણની વાત કરનાર લોકો ખોટા છે.  જનરલ બિપિન  રાવતે કહ્યું હતું કે, સ્થિતિને સામાન્ય કરવાના પ્રયાસો હજુ પણ ચાલી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં જનજીવનને કોઈ અસર થઈ નથી. લોકો પોતાના કામ નિયમિત રીતે કરી રહ્યા છે. દુકાનો અને બજારો ખુલ્લા છે. તમામ પ્રવૃતિ નિયમિત રીતે ચાલી રહી છે.

(9:41 pm IST)