Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

ગ્વાલિયરમાં ઈન્ડિયન એરફોર્સનું મિગ-21 વિમાન ક્રેશ:બંને પાયલોટ સુરક્ષિત:અકસ્માત સમયે કૂંદવામાં સફળ

નવી દિલ્હી : ભારતીય વાયુસેના (આઈએએફ) નું ટ્રેનર વિમાન મિગ-21 મધ્યપ્રદેશનાં ગ્વાલિયરમાં ક્રેશ થયું હતું. આ  ઘટનામાં બંને પાઇલટ સંપૂર્ણ સલામત છે. બે પાયલોટમાંથી એક ગ્રૂપ કેપ્ટન અને એક સ્ક્વોડ્રન લીડર રેન્કનો છે અને બંને અકસ્માત સમયે કૂંદવામાં સફળ રહ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માત થયો ત્યારે વિમાન સૉર્ટી પર હતું.

ક્રેશ થયેલ મિગ-21 કાદવમાં જઇને પડ્યુ હતુ. હાલ એરફોર્સ તરફથી આ મામલાની તપાસનાં આદેશો આપવામાં આવ્યા છે. સવારે 10 વાગ્યાની આસપાસ વિમાન ક્રેશ થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં આ દુર્ઘટના થઈ તે સ્થળ ભીંડ જિલ્લામાં પડે છે.

(12:10 pm IST)