Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

અભિનેત્રી અર્શી ખાને રાજકારણને અલવિદા કહ્યુઃ કોંગ્રેસ માંથી રાજીનામુ આપ્યુ

 દિલ્લીઃ એક અભિનેત્રી હાલ એવી વાતને લઈ ચર્ચામાં આવી કે સોશિયલ મીડિયામાં માત્ર એની જ બબાલ ચાલી રહી છે. કલર્સ ટીવીના રિયાલીટી શૉ બિગબૉસ ફેમ અર્શી ખાને ૬ મહિના પહેલાં કોંગ્રેસ પાર્ટી જૉઇન કરીને રાજકારણમાં જોડાવાનો નિર્ણય લીધો હતો અને હવે તેણે કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને બધાને ચોંકાવી દીધા છે. એટલું જ નહીં પણ અર્શી ખાને કોંગ્રેસમાંથી રાજીનામુ આપવાની સાથે સાથે હંમેશા માટે રાજકારણમાંથી સંન્યાસ લઇ લીધો છે. તેણે પોતાના સંન્યાસની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી છે. એક ટ્વીટ કર્યુ અને આ ટ્વીટમાં સંન્યાસ પાછળનુ સાચું કારણ કહ્રયું છે.અર્શી ખાને ટ્વિટ કરતાં લખ્યું કે, ઇન્ડસ્ટ્રીમાં વધી રહેલા મારા કામના કારણે રાજકારણમાં યોગદાન આપવું ઘણુ મુશ્કેલ થઇ ગયું છે. તેથી હું ભારતીય નેશનલ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામુ આપી રહી છુ. મારા પર ભરોસો કરવા અને સમાજનું કામ કરવાની તક આપી એ બદલ ખુબ ખુબ આભાર માન્યો હતો.

(6:54 pm IST)