Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

ગોરખપુરમાં ર૪ દિવસ પહેલા થયેલ નવજાતની હત્‍યાનો ખુલાસોઃ દુષ્‍કર્મીએ જમીન પર પછાડી મારી નાખેલ

            ગોરખપુરઃ  ઉતરપ્રદેશમા  ગોરખપુરના પીપીગંજ થાણા વિસ્‍તારના એક ગામમા ૩૧ જાન્‍યુ. ના મૃત મળેલ એક નવજાતના મામલામા  પોલીસએ હવે ખુલાસો કર્યો છે કે પીપીગંજ પોલીસના મુતાબિક  આ નવજાતને દુષ્‍કર્મના એક આરોપીને જમીન પર પછાડી મારી નાખવામા આવ્‍યો હતો. આ મામલામા સગીર છોકરી અને તેની મા ની હત્‍યામા સંક્ષિપ્તા ઉજાગર થઇ છે. પોલીસ દુષ્‍કર્મના આરોપીની તપાસ કરી રહી છે. ખ્‍યાલ આવ્‍યો છે કે સગીરની માની મોટી બહેનના લગ્નમા આરોપી વીભાષ્‍મસિંઅ ના કાકાએ  આર્થીક મદદ કરી હતી આ પછી જ નવજાતની હત્‍યા કરવામાં આવી.

નવજાતની હત્‍યાના ર૪ દિવસ પછી પોલીસએ ખુલાસો કરતા જણાવેલ કે ૧૬ વર્ષીય સગીર છોકરીએ બાળકને જન્‍મ આપતા જ દુષ્‍કર્મના આરોપીએ જમીન પર પછાડી મારી નાખ્‍યો હતો. આમા સગીર અને એની માતાએ પણ સાથ આપ્‍યો. પોલીસએ સગીર બાળકીને સરંક્ષણ ગૃ્‌ર અને તેની પ૦ વર્ષની માતાને જેલમા મોકલી છે. જયારે દુષ્‍કર્મના આરોપીની શોધ ચાલુ છે.

પોલીસને જાણવા મળ્‍યુ કે જયારે વિભાષ્‍મએ નવજાતને મારી નાખી તો સગીરની માતાએ શબ લઇ જઇ તળાવના કિનારે છુપાવી દીધેલ હતુ. આવામા પોલીસ વિભાષ્‍મ ઉપરાંત સગીર છોકરી અને તેની માતાને આરોપી બનાવેલ છે.

(12:00 am IST)