Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

કેરળમાં કોરોનાનો કહેર યથાવત : દેશમાં નવા 37.607 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 33.970 દર્દીઓ રિકવર થયા : વધુ 647 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.35.788 થયો :એક્ટીવ કેસ 3.16.211 થયા : કુલ કેસની સંખ્યા 3.25.11.370 થઇ

સૌથી વધુ કેરળમાં 24.296 કેસ, મહારાષ્ટ્ર્રમાં 4355 કેસ,તામિલનાડુમાં 1585 કેસ, કર્ણાટકમાં 1259 કેસ,આંધ્રપ્રદેશમાં 1248 કેસ,મિઝોરમમાં 845 કેસ, ઓરિસ્સામાં 625 કેસ, પશ્ચિમ બંગાળમાં 613 કેસ,આસામમાં 555 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો છે દેશમાં કોરોનાનાં નવા 37.607 કેસ નોંધાયા છે. જ્યારે 33.970 દર્દીઓ રિકવર થયા છે

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 37.607 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 647 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.35.788 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 37.607 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.25.11.370 થઇ છે  એક્ટિવ સંખ્યા 3.16.211 થઇ છે છેલ્લા 24 કલાકમાં 33.970 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.17.46.626 લોકોએ કોરોનાને મહાત આપી છે
 દેશમાં સૌથી વધુ કેરળમાં 24.296 કેસ, મહારાષ્ટ્ર્રમાં 4355 કેસ,તામિલનાડુમાં 1585 કેસ, કર્ણાટકમાં 1259 કેસ,આંધ્રપ્રદેશમાં 1248 કેસ,મિઝોરમમાં 845 કેસ, ઓરિસ્સામાં 625 કેસ, પશ્ચિમ બંગાળમાં 613 કેસ,આસામમાં 555 કેસ નોંધાયા છે 

(1:05 am IST)