Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

દિલ્હીમાં નીતિ આયોગની બેઠકમાં ભાગ નહીં લેવાનો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બૅનર્જીનો નિર્ણય

મમતા બેનર્જીએ 27મીએ દિલ્હીમાં યોજાનારી નીતિ આયોગની બેઠકમાં ભાગ નહીં લેવા નિર્ણય લીધો

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર સામે વિપક્ષ એક પછી એક બહિષ્કાર કરતી નજરે પડે છે, નવા સંસદ ભવનના ઉદ્ધઘાટનમાં ભાગ નહિ લેવા અનેક વિપક્ષી પાર્ટી મન બનાવી ચુકી છે ત્યારે પશ્ચિમ બંગાળ સચિવાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ 27 મેના રોજ દિલ્હીમાં યોજાનારી નીતિ આયોગની બેઠકમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે. એક દિવસ પહેલા તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ બેનર્જીએ જાહેરાત કરી હતી કે તેઓ રાષ્ટ્રીય રાજધાનીમાં નવી સંસદ ભવનનું ઉદ્ઘાટનનો બહિષ્કાર કરશે.

   
(8:46 pm IST)