Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

હે... ભારતમાં કોરોના કહેર વચ્ચે શરદીએ બચાવ્યા અનેક લોકોના જીવઃ અભ્યાસ

નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈમ્યુનોલોજી અને એઈમ્સના વૈજ્ઞાનિકોની સ્ટડીમાં થયો ખુલાસો

નવી દિલ્હી, તા.૨૪: ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ જે રીતે વધ્યું છે તેની સામે મૃત્યુ દર અમેરિકા અને યુકે જેવા દેશો કરતા ઓછો છે. એક સ્ટડી મુજબ સામાન્ય શરદીના વાયરસના કારણે ભારતમાં અન્ય દેશોની સરખામણીએ કોરોનાથી મોતનું પ્રમાણ ઓછું રહ્યું છે.

 ભારતમાં કોરોનાની બીજી લહેરમાં કેસો સતત વધી રહ્યા છે. પોઝિટિવ દર્દીઓનો આંકડાના દ્રષ્ટિએ ભારત દુનિયામાં ત્રીજા નંબરે છે, પરંતુ જે રીતે સંક્રમણ વધ્યું છે એ હિસાબે અમેરિકા અને યુકે જેવા દેશોની સરખામણીમાં ભારતમાં મોતનો આંકડો ઓછો નોંધાયો છે. આ ખુલાસો નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈમ્યુનોલોજી અને એઈમ્સના વૈજ્ઞાનિકોએ કર્યો છે. એક સ્ટડીમાં તેમણે ભારતમાં કોરોના સંક્રમણથી મૃત્યુનો દર ઓછો હોવાનું કારણ જણાવ્યું છે. આ સ્ટડી મેડિકલ જર્નલ ફ્રન્ટિયર ઈન ઈમ્યુનોલોજીમાં પબ્લિશ થઈ છે.

રિસર્ચર્સે કોરોના વાયરસ પહેલાના સમયમાં કેટલાક વ્યકિતઓના લોહીના ૬૬ ટકા બ્લડ સેમ્પલ અને પ્લાઝમા એકત્ર કર્યા, જેમાં સંક્રમણનો કોઈ ખતરો ન દેખાયો. રિસર્ચર્સને પોતાની સ્ટડીમાં જાણવા મળ્યું કે, બ્લ્ડ સેમ્પલ અને પ્લાઝમામાં SARS-CoV-2ની સામે CD4+T cellsએપ્રભાવી રિએકશન આપ્યું છે. હકીકતમાં, SARS-CoV-2ના કારણે જ કોરોના વાયરસનું સંક્રમણ થાય છે. તેનાથી પણ મહત્વપૂર્ણ વાત એ હતી કે, હેલ્ધી ડોનરના ઓછામાં ઓછા ૨૧ ટકા નમૂના હતા, જેણે SARS-CoV-2 સ્પાઈક પ્રોટીનનો જવાબ આપ્યો.

રિસર્ચર્સની આ સ્ટડી કોવિડથી પ્રભાવિત ૨૮ અને કોરોનાના જોખમ વિનાના ૩૨ વ્યકિતઓની ઈમ્યૂન પ્રોફાઈલ (ટી સેલ)ના વિશ્લેષણ પર આધારિત હતી, જે કોરોના વાયરસ સંક્રમણના હળવા લક્ષણો દેખાયા બાદ લેવાયા હતા. હકીકતમાં, ટી-સેલ શ્વેત રકત કોશિકાઓ (WBC)નો એક પ્રકાર છે, જે શરીરની ઈમ્યૂન સિસ્ટમમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.

CD4 T-cellsને હેલ્પર સેલ મનાય છે, કેમકે તે સંક્રમણને બિનઅસરકારક નથી બનાવતા, પરંતુ સંક્રમણ માટે શરીરની પ્રતિક્રિયાને ટ્રિગર કરે છે, એટલે કે શરીરમાં એવી શકિતઓ પેદા કરે છે, જે પોતે સુક્ષ્મ હોઈ શકે. એઈમ્સ બાયોકેમેસ્ટ્રી વિભાગના એસોસિએટ પ્રોફેસર ડો. અશોક શર્મા મુજબ, ટી કોશિકાઓની ઉપસ્થિતિ જે SARS-CoV-2 સ્પાઈક પ્રોટીન અને એ લોકોમાં બિન-સ્પાઈક પ્રોટીનને વધારવા માટે જવાબદાર હોય છે, જે કોરોનાથી કયારેય સંક્રમિત ન થયા હોય. એ કારણે તે જયારે વાયરસના કોન્ટેકટમાં આવે છે તો સામાન્ય શરદી થાય છે.

સ્ટડીના મુખ્ય લેખક અને NIIમાં વેકસીન ઈમ્યુનોલોજી ડિવિઝનના ચીફ ડો. નિમેશ ગુપ્તા મુજબ, કોરોના વાયરસથી જયારે ટી સેલનો ક્રોસ રિએકિટવ થાય છે, તો સામાન્ય શરદીનું કારણ બની શકે છે, તે સેલ કોવિડ સંક્રમણ સામે રક્ષણ નથી કરતા, પરંતુ SARS-CoV-2નો જવાબ આપી રોગની ગંભીરતાને ઓછી કરી શકે છે. તો, એમ્સના પૂર્વ પ્રોફેસર ડો એન એક મેહરાએ જણાવ્યું કે, ભારતમાં કોરોનાનો મૃત્યુ દર ૧.૫ ટકાથી ઓછો છે, જયારે અમેરિકા જેવા દેશોમાં ૩ ટકાથી વધુ છે. મેકિસકોમાં મૃત્યુદર ૧૦ ટકાથી વધુ હોવાનું પણ તેમણે જણાવ્યું.

(10:07 am IST)