Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

દેશનો જનાદેશ વિપક્ષના દુષ્પ્રચાર વિરૂધ્ધનું પરિણામ છેઃ અમિતભાઈ

પોણા છ લાખની વિક્રમી લીડથી જીત્યા બાદ ભાજપના રાષ્ટ્રિય પ્રમુખે ટ્વીટર ઉપર પ્રત્યાઘાત આપ્યા

રાજકોટ,તા.૨૩: ગાંધીનગર બેઠક પરથી પોણા છ લાખ જેટલી વિક્રમ લીડથી જીત્યા બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે ટ્વીટર  ઉપર ટ્વીટ કરીને  લખ્યું છે કે સમગ્ર ભારત દેશની જનતાએ લોકસભાની ચૂંટણીમાં જાતિવાદ, પરિવારવાદ તથા તૃષ્ટિકરણને જાકારો આપ્યો છે.

તેઓ વધુમાં  ટ્વીટ કરીને સમગ્ર દેશની જનતાને આભાર માન્યો છે. તેઓએ દેશના જનાદેશને વિપક્ષના દુષ્પ્રચાર વિરૂધ્ધનું પરિણામ ગણાવ્યું હતું.

(4:20 pm IST)