Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

જનતાએ નહીં બેઇમાનીએ ભાજપને જીતાડી છે.;તમે મને ગાળો આપી શકો ,પરંતુ સત્ય બોલવું જરૂરી હાર્દિક પટેલનો પ્રતિભાવ

રાહુલ ગાંધીએ ઇમાનદારીથી ચૂંટણીમાં જનતાની વાત રાખી, અમે ઇમાન સાથે મેદાનમાં હતા

નવી દિલ્હી :લોકસભાની ચૂટણીંમાં પરિણામના વલણ મુજબ ભાજપ પૂર્ણ બહુમતી સાથે ફરી સરકાર બનાવશે તેવું સ્પષ્ટ થઇ ગયું છે ગુજરાતમાં ભાજપે તમામ 26 સીટ પર કબજો કર્યો છે, ત્યારે ગુજરાત કોંગ્રેસમાં જોડાયેલા હાર્દિક પટેલે ટ્વીટર પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. હાર્દિકે હિન્દીમાં લખ્યું કે જનતાએ ભાજપને નહીં પરંતુ બેઇમાનીએ ભાજપને જીતાડી છે.

   હાર્દિક પટેલે ટ્વીવટ કરતાં હિન્દીમાં લખ્યું કે કોંગ્રેસ તથા રાહુલ ગાંધીએ ઇમાનદારીથી ચૂંટણીમાં જનતાની વાત રાખી, અમે ઇમાન સાથે મેદાનમાં હતા, જનતાએ ભાજપને નહીં બેઇમાનીએ ભાજપને જીતાડી છે. તમે મને ગાળો આપી શકો છો. પરંતુ સત્ય બોલવું જરૂરી છે. દેશમાં જનતાના મોઢા પર ખુશી નથી. ભારત માતાની જય

(1:57 pm IST)