Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

વડાપ્રધાને મંગળવારે અગત્યના ખાતાઓના સચિવોની બેઠક બોલાવેલઃ પહેલા ૧૦૦ દિવસમાં કરવાના કામની કરી ચર્ચા

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે વિવિધ ખાતાઓના ટોપ બ્યુરોક્રેટસની મીટીંગ બોલાવી હતી તેમ સુત્રોએ કહ્યુ હતું. મીટીંગના એજંડા બાબતે કંઇ કહેવામાં નથી આવ્યું.

સુત્રોએ કહ્યું કે વડાપ્રધાને અર્થવ્યવસ્થા સહિતના વિવિધ મુદ્દાઓ પર બ્યુરોક્રેટસના ફીડબેક માંગ્યા હતા. ચૂંટણી જાહેર થયા પછી વડા પ્રધાને પહેલીવાર અગત્યના ખાતાઓના ટોપ બ્યુરોક્રેટસ સાથે મીટીંગ કરી હતી.

આ મીટીંગ પહેલા વડાપ્રધાન ભાજપા પ્રમુખ અમિત શાહ દ્વારા યોજવામાં આવેલ ડીનર પાર્ટીમાં એનડીએના નેતાઓને મળ્યા હતા.

મોટાભાગના એકઝીટ પોલમાં એનડીએ જીતશે તેવું જાહેર થયું છે સુત્રો અનુસાર, સરકારે દરેક મંત્રાલયને અને વિભાગને તેમનો આગામી ૧૦૦ દિવસનો એજંડા તૈયાર કરવાનું કહી દીધું છે.

(1:03 pm IST)