Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

પુલવામા હુમલા અંગે વિદ્યાર્થીએ કર્યો સવાલ : યોગી બન્યા ભાવુક ;આંખમાંથી આંસુ નીકળ્યા

આટલા મોટા હુમલા પર આપણી સુરક્ષા એજન્સીઓ અને સરકાર શું કરી રહી છે

 

લખનૌ :જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં આતંકવાદી હુમલા પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને વિદ્યાર્થીએ એવો પ્રશ્ન કર્યો કે જેનાં જવાબ આપતા મુખ્યમંત્રી યોગીભાવુક બન્યા હતા અને તેઓની આંખોમાંથી આંસુ નીકળી ગયા.

   લખનૌઉમાં મન કી બાત દરમિયાન મુખ્યમંત્રી યોગી વિદ્યાર્થીઓના પ્રશ્નોનો જવાબ આપી રહ્યા હતા, ત્યારે વિદ્યાર્થીએ મુખ્યમંત્રી યોગીને પુલવામા આતંકવાદી હુમલા અને આતંકવાદથી સંબંધિત એક પ્રશ્ન પૂછ્યો હતો અને એનો જવાબ આપતા યોગીનાં આંખમાં આંસુ આવી ગયા હતા.

    પુલવામા આતંકવાદી હુમલાના સંબંધમાં આદિત્યનાથને યુવાને સવાલ કર્યો કે યોગી આદિત્યનાથજી મારો પ્રશ્ન હતો કે આટલા મોટા હુમલા પર આપણી સુરક્ષા એજન્સીઓ અને સરકાર શું કરી રહી છે. પ્રશ્નનો જવાબ આપતી વખતે પુલવામા શહીદોને યાદ કરતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ લાગણીશીલ બન્યાં અને એને રડવું આવી ગયું હતું.

(10:45 pm IST)