Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

૧૦ કિલોમીટર ચાલીને તિરુપતિ પહોંચ્યા રાહુલ ગાંધી

કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ ગઇકાલે આંધ્ર પ્રદેશના રેનીગુંટા વિમાન મથકે ઉતર્યા પછી તિરુપતિમાં ટેકરીની તળેટીથી ઉપર ભગવાન વેન્કટેશ્વરના મંદિર સુધી ૧૦ કિલોમીટરની અંદાજે ૨ કલાક સુધીની પગપાળા યાત્રા કરી હતી. ત્યારપછી રામરાવ સ્ટેડિયમમાં જાહેર સભાને સંબોધતાં આગામી ચૂંટણીમાં કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવે તો આંધ્ર પ્રદેશને વિશેષ દરજજો ફાળવવાનું વચન આપ્યું હતું.(૨૩.૩)

(11:57 am IST)