Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદજી જબલપુર હોસ્પિટલમાં દાખલ

શ્વાસ લેવામાં તકલીફ પડતા આઈસીયુમાં સારવાર હેઠળ

જબલપુર, તા. ૨૩ :. શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી હાલમાં ૯૮ વર્ષની ઉંમર ધરાવી રહ્યા છે. હાલ તેઓ ધર્મ પ્રચાર અર્થે મધ્ય પ્રદેશના જબલપુરમાં હતા. તેઓની અચાનક જ તબિયત લથડતા તેઓને હોસ્પીટલ ખસેડાયા છે. શ્વાસની તકલીફ પડતા શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ  સરસ્વતીજીને હાલ જબલપુરની હોસ્પીટલમાં આઇસીયુ વોર્ડમાં સારવાર માટે રખાયા છે. ડોકટરોનું કહેવું છે કે ચિંતાજનક કોઇ વાત નથી

હાલ સ્વામીજીને આઇસીયુ વોર્ડમાં સારવાર અપાઇ રહી છે. શંકરાચાર્યજી અસ્વસ્થ હોવા અને હોસ્પીટલમાં દાખલ થયાના અહેવાલો મળતા જ તેમને મળવા માટે શુભચિંતકો આવી પહોંચ્યા હતા. ઠંડીના કારણે શંકરાચાર્યજીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. જેમના કારણે તેઓને હોસ્પીટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

(3:54 pm IST)