Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

શરીરમાંથી અપવિત્ર આત્માને બહાર કાઢવાને બહાને ગાયિકા પર બળાત્કાર

પીડિતા રિમિકસ આલબમ માટે કામ કરે છે અને તેનો પતિ પણ સંગીતકાર છે

મુંબઈ, તા.૨૩: શરીરમાં અપવિત્ર આત્મા છે અને તેને બહાર કાઢવામાં ન આવે ત્યાં સુધી ઘરમાં સમૃદ્ઘિ અને વ્યવસાયમાં સફળતા નહીં મળે એવો ભય દાખવી સિંગર પર કથિત બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની ઘટના કાંદિવલીમાં બનતાં પોલીસે કહેવાતા મહારાજની ધરપકડ કરી હતી. કાંદિવલી પશ્ર્ચિના ચારકોપ વિસ્તારમાં પતિ સાથે ભાડેના ફ્લેટમાં રહેતી ગાયિકાએ નોંધાવેલી ફરિયાદને આધારે ચારકોપ પોલીસે મંગળવારે ધરપકડ કરેલા આરોપીની ઓળખ ઉમેશ પાંડે તરીકે થઈ હતી. પીડિતા રિમિકસ આલબમ માટે કામ કરે છે અને તેનો પતિ પણ સંગીતકાર છે.

પોલીસ ફરિયાદ અનુસાર દંપતી ગૃહપૂજા માટે પૂજારીની શોધમાં હતું ત્યારે તેમની ઓળખ ચારકોપ વિસ્તારમાં રહેતા પાંડે સાથે થઈ હતી. પૂજા માટે પાંડેને રવિવારે ઘરે બોલાવવામાં આવ્યો હતો. ફરિયાદીનો પતિ પૂજાનો સામાન લાવવા બજારમાં ગયો હતો ત્યારે ફરિયાદી એકલી જ ઘરે હતી.

ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે 'તારા શરીરમાં પવિત્ર આત્મા છે અને તેને કારણે વ્યવસાયમાં વૃદ્ઘિ થતી નથી. શરીરમાંથી અપવિત્રે આત્માને બહાર કાઢવા માટે તારે નિર્વસ્ત્ર થવું પડશે,' એવું પાંડેએ ફરિયાદીને કહ્યું હતું. આત્માનો જ ભય ઊભો કરી તેણે બળાત્કાર ગુજાર્યો હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો હતો. પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીની પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે.

(10:18 am IST)