Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

મહારાષ્ટ્ર સરકારનાં100 દિવસ પૂરા થતા મુખ્યમંત્રી ઉદ્ધવ જશે અયોધ્યા

ગઠબંધનના નેતાઓએ પણ અયોધ્યા મુલાકાતમાં સાથે આવે તેવી ઈચ્છા

 

મુંબઈ : શિવસેનાના નેતા સંજય રાઉતએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે ભગવાનના આશીર્વાદ મેળવવા માટે, મહારાષ્ટ્રની આગાડી સરકારનાં સત્તાના 100 દિવસ પૂરા થવા પર અયોધ્યાની મુલાકાત લેશે.

 શિવસેનાનાં નેતા અને સાંસદ સંજય રાઉત દ્વારા વધુમાં કહેવામાં આવ્યું છે કે, અમે ઈચ્છીએ છીએ કે આપણા જોડાણ નેતાઓ પણ અયોધ્ય મુલાકાતમાં સાથે આવે. રાહુલ ગાંધી પણ અનેક મંદિરોની મુલાકાત લે જ છે. આમ કહી રાહુલ ગાંઘીને પણ અડકતરી રીતે આમંત્રણનાં રુપમાં સલાહ આપવામાં આવી હતી.

(12:52 am IST)