Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

ભારત જો રામ, નાનક, અને ચિશ્તીનો પ્રદેશ છે તો ગૃહમંત્રી પર કેસ કરોઃ પુત્રીઓ પર નિયમોના ઉલ્લંઘન પર કેસ થતા શાયર મુન્નવર રાણાનો આક્રોશ

મશહુર શાયર મુન્વ્વર રાણાની પુત્રીઓ પર લખનૌમાં નિયમ તોડવાના આરોપમાં કેસ દાખલ કરવામાં આવ્યો. મુનવ્વર રાણાએ સવાલ ઉઠાવતા પૂછયું કે ગૃહમંત્રી પર કેસ કયારે થશે એમની રેલીમાં પણ નિયમનું ઉલ્લંઘન થયું છે.

        મીડિયા રીપોર્ટસ અનુસાર અમિત શાહએ કહ્યું કે હિન્દુસ્તાન જો રામ, નાનક અને ચિશ્તીનો પ્રદેશ છે તો ગૃહમંત્રી અમિત શાહ પર કેસ કરો. ત્યારે અમે સમજશું કે  અમારી સરકાર અને પોલીસ ન્યાય કરી રહી છે.

        પુત્રીઓ સાથે નાઇન્સાફી થઇ છે રાણાએ કહ્યું કે જો સરકારની નજરમાં શાહની રેલી કરવી યોગ્ય છે તો જાહેર છે કે પોલીસની કાર્યવાહી નાગરિકતા સંશોધન કાનૂન (સીએએ) અને રાષ્ટ્રીય નાગરિકતા રજીસ્ટર (એનઆરસી) નો વિરોધ કરી રહેલી એમની  પુત્રીઓ અને તમામ મુસ્લિમ મહિલાઓ તથા છોકરીઓ સાથે નાઇન્સાફી છે.

(12:00 am IST)