Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

પુલવામાના અવંતિપોરા વિસ્તારમાં સેના સાથે અથડામણમાં ત્રણ આતંકવાદી ઠાર

વિસ્તારમાં સર્ચ ઓપરેશન: તમામ એન્ટ્રી પોઇન્ટને સીલ કર્યા

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં  ભારતીય સેનાએ આંતકીઓ સાથેની અથડામણમાં ત્રણ આતંક્વદીઓ ઠાર કર્યા છે પુલવામાના અવંતિપોરા વિસ્તારમાં આવેલ રાજપુરા ગામમાં આ ત્રણ આંતકીનો ઠાર કરવામાં આવ્યા હતા. મરનાર આતંકીઓમાં 2 પાકિસ્તાની હોવાની પણ આંશકા વ્યક્ત કરવામાં આવી છે. જેમની પાસેથી કેટલાક હથિયાર અને દારૂગોળો પ્રાપ્ત થયો હતો.

    સેનાને મંગળવારની બપોરે પુલવામાંના અવંતિપોરા નજીક આતંકીઓની હલચલ થતી હોવાની સૂચના બાદ તાત્કાલિક અસરથી સેનાની રાષ્ટ્રીય રાયફલ્સ, જમ્મુ-કાશ્મીર પોલીસ અને SOG અને CRPF ના જવાનોની એક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને તમામ એન્ટ્રી પોઇન્ટને સીલ કર્યા હતા.

(10:29 pm IST)