Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

ઇઝરાયેલે ભારતને ભેટ આપેલ જળશુધ્ધિકરણ પ્લાન્ટ કચ્છ બોર્ડરે ધુળ ખાઇ રહ્યાની વાતથી ચકચાર

કોંગી ધારાસભ્યએ વિધાનસભામાં પુછેલ પ્રશ્નને શીફતપૂર્વક ઉડાવી દેવાયો

અમદાવાદ : ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતાયુહે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપેલા હરતાફરતા ડિસેલિનેશન પ્લાન્ટઅંગે ગેુજરાત વિધાનસભામાં પુછવામાં આવેલા સવાલને જ ઉડાવી દેવાયો છે. આ ગુજરાતને લગતો પ્રશ્ન ન હોવાનું જણાવીને તે પ્રશ્નન કાઢી નાખવામાં આવ્યો છે.

વાસ્તવમાં પ્રધાનમંત્રીને આપવામાં આવેલા આ મોબાઇલ ડિીસેલિનેશન પ્લાન્ટ કેન્દ્ર સરકારના કહેવાય. પરંતુ આ બંને પ્લાન્ટ કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને આપી દીધેલા છે. પરંતુ ગુજરાત સરકાર હાલ આ પ્લાન્ટનો શો ઉપયોગ કરી રહી છે અને તેનાથી કેટલો ફાયદો રાજયને થયો છેતે અંગે એક અતાંરાંકિત પ્રશ્ન પુછવામાં આવ્યો ત્યારે આ બાબત ગુજરાતને સ્પર્શતી ન હોવાનું જણાવીનેતેમાં રાજય સરકારની કોઇ જવાબદારી ન આવતી હોવાનું જણાવીને પ્રશ્ન રદ કરી દેવામાં આવ્યો હતો.

આ સવાલનો રાજય સરકાર જવાબ જ આપી ન શકે તેમ હોવાથી તેમનો પ્રશ્ન ઉડાવી દેવામાં આવ્યો હોવાનું વિધાન સભ્ય જવાહર ચાવડાનું કહેવું છે. બીજુ, આજે આ મશીનનો ઉપયોગથઇ રહ્યો છે કે પડયુ રહ્યું છે તે અંગે પણ સરકાર દ્વારા કોઇ જ સ્પષ્ટતા કરવામાં આવતી નથી. પરિણામે આ મશીન ધૂળ ખાતું પડી રહ્યું હોવાની આશંકા મજબુત બની રહી છે. ત્રીજુ, તેનો ઉપયોગ થતો જ હોયતો પછી તેના અંગેની માહીતી આપવામાં રાજય સરકારને કોઇ જ વાંધો ન હોવો જોઇએ. તેઓ માહીતી આપવાનું ટાળી રહ્યા હોવાથી જ દાળમાં કંઇક કાળુ હોવાની આશંકા મજબુત બની રહી છે. ચોથું આ બંને મશીનો ગુેજરાતના કબજામાં જ છે તેથી ગુજરાત સરકાર તેનો શો ઉપયોગ કરે છે તેનો જવાબ આપવા બંધાયેલી છે. આ જવાબ આપવાને બદલે ગુજરાત સરકાર આખા સવાલનો જ છેદ ઉડાડી રહી છે.

 આ અંગેપાણી પુરવઠા મંત્રી પર્વત પટેલને પુછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે આ બંને મશીન કચ્છ પાકિસ્તાનની સરહદ પર નડાબેટ પર સીમાનું રક્ષણ કરતા બોર્ડર સિકયોરીટી ફોર્સના જવાનોને આપવામાં આવી છે, પરંતુ તેનો અત્યારે કોઇ જ ઉપયોગ થતો નથી. ચોમાસામાં પાણી ગંદુ હોય ત્યારે ગમે જગ્યાએથી તે લઇને પાણીનો ઉપયોગ પીવાના પાણી તરીકે કરી શકાય તેવુ ચોખ્ખુ પાણી કરી આપવાને આ મશીન સક્ષમ છે. (૩.૬)

 

(3:22 pm IST)