Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

મરાઠા ક્રાંતિ મોરચાના વિરોધને કારણે ફડણવીસ આ વર્ષે પંઢરપૂર મંદિરમાં પૂજા કરવા નહીં જાય

મુંબઈ :દર વર્ષે પંઢરપૂરના વિઠ્ઠલ મંદિરમાં મુખ્યમંત્રીના હસ્તે શાસકીય પૂજા કરવામાં આવતી હોય છે. ફડણવીસે ગયા વર્ષે એમના પત્ની સાથે મંદિરમાં જઈને પૂજા કરી હતી, પરંતુ આ વર્ષે ફડણવીસ પૂજા કરે એ સામે મરાઠા ક્રાંતિ મોરચાએ વિરોધ કર્યો છે.મુખ્યમંત્રી  ફડણવીસે કહ્યું છે કે આંદોલનકારીઓની લાગણીને ધ્યાનમાં લઈને પોતે અષાઢી પૂજા માટે પંઢરપૂર મંદિરમાં નહીં જાય. મરાઠા સમાજને હું અનામત આપી દઉં એ ચાલે નહીં.

 

(6:45 pm IST)