Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

લખનૌમાં ઇસ્લામિક સેંટર ઓફ ઇન્ડિયાની અપીલ - રમજાનમાં ઘર પર નમાજ પઢો - ઇબાદત કરો

લખનૌમાં કોરોના વાયરસના પ્રકોપને ધ્યાને લઇ મુસ્લિમ ધર્મગુરૂઓએ લોકોને રમજાનના પવિત્ર મહિનામાં ઘર પર રહી અને ત્યાંજ ધાર્મિક કાર્ય કરવાની અપીલ કરી છે. મૌલાના ખાલિદ રશીદએ કહ્યું પૂરા દેશમાં લોકડાઉન ચાલુ છે.

આવામાં બધા લોકો રોજા ઘર પર રાખે, ઇફતાર અને નમાજ પણ ઘરમાં જ કરે કોઇ ઘરની બહાર ન જાય આ માટે ઇસ્લામિક સેંટર ઓફ ઇન્ડિયા તરફથી લખનૌમાં ગાડીઓ દ્વારા મહોલ્લાઓમાં એનાઉસમેન્ટ કરવામાં આવી રહ્યું છે.

(11:16 pm IST)