Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

દિલ્લીઃ આઝાદપુર મંડીના શાકભાજીના વેપારીનું મોત, સેંકડો લોકો કોરોન્ટાઇન થશે

નવી દિલ્લીઃ દિલ્લીના આઝાદપુર મંડીના એક પ૭ વર્ષિય વેપારીનું કોરોનાથી મોત થયું. એશિયાની સૌથી મોટી આ મંડીથી પુરી દિલ્લીમાં શાકભાજી અને ફળ સપ્લાય થાય છે. સ્થાનિય પ્રશાસનનાં મુતાબિક મોટી સંખ્યામાં એવા લોકોનો ખ્યાલ આવ્યો છે જે વિતેલા દિવસોમાં આ વ્યાપારીના સંપર્કમાં આવ્યા હતા.

સ્વાસ્થ્ય વિભાગની ટીમ હવે આઝાદપુર મંડીમાં આ શખ્સના સંપર્કમાં આવેલ બધા લોકોની ઓળખ કરી એમને કોરોન્ટાઇન કરી રહી છે.

(10:08 pm IST)