Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

અમરનાથ યાત્રા રદ કરવાનો નિર્ણંય પાછો ખેંચાયો : 23મી જૂનથી યાત્રા શરૂ

જમ્મુ: લાખો શિવભક્તો માટે આસ્થાનું કેન્દ્ર એવી અમરનાથ યાત્રા રદ્દ કરવામાં આવી હતી પરંતુ બાદમાં અમરનાથ યાત્રા રદ કરવાનો નિર્ણંય પાછો ખેંચાયો છે અને આગામી 23મી જૂનથી યાત્રા શરૂ કરાશે

આ પહેલા  અમરનાથ યાત્રા કોરોના વાયરસના રોગચાળાને ધ્યાનમાં રાખી સુરક્ષાના ભાગરુપે રદ્દ કરવામાં આવી છે. અમરનાથ શ્રાઈન બોર્ડએ જણાવ્યાનુસાર આ વર્ષે યાત્રાનો ભાગ લોકો બનશે નહીં પરંતુ હવે અમરનાથ યાત્રા ચાલુ રહશે રદ કરવાનો નિર્ણંય પરત લેવાયો છે અને આગામી 23મી જૂનથી અમરનાથ યાત્રા શરૂ કરવામાં આવશે

(9:32 pm IST)