Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

સત્તા મળ્યાના એક માસ પછી શિવરાજ સિંહે મંત્રી મંડળની રચના કરી : કોરોના વાઇરસના ઉપદ્રવ વચ્ચે 23 માર્ચના રોજ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી બન્યા : ગઈકાલ 21 એપ્રિલથી નવું મંત્રીમંડળ અસ્તિત્વમાં આવ્યું : આજ 22 એપ્રિલે ખાતાઓની વહેંચણી કરી

ભોપાલ : સત્તા મળ્યાના એક માસ પછી શિવરાજ સિંહે મંત્રી મંડળની રચના કરી છે. કોરોના વાઇરસના ઉપદ્રવ વચ્ચે 23 માર્ચના રોજ તેઓ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા. ગઈકાલ 21 એપ્રિલથી  નવું મંત્રીમંડળ અસ્તિત્વમાં આવ્યું હતું. જેમાં આજ 22 એપ્રિલે ખાતાઓની વહેંચણી કરી હતી.જે અંતર્ગત

- નરોત્તમ મિશ્રા - ગૃહ અને સ્વાસ્થ્ય મંત્રાલય
- તુલસીરામ સિલાવટ - જળ સંસાધન મંત્રાલય
- કમલ પટેલ - કૃષિ મંત્રાલય
- ગોવિંદ સિંહ - ખાદ્ય તેમજ નાગરીક પૂરવઠા મંત્રાલય
તથા - મીના સિંહ - આદિ જાતી કલ્યાણ મંત્રાલય વિભાગના મિનિસ્ટર બન્યા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:03 pm IST)