Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

કોરોના મહાસંગ્રામ-દિલ્લી સરકારનો જબરો નિર્ણયઃ દિલ્લીમાં એક કરોડ લોકોને મફત રાશન મળશે

નવી દિલ્લી, ર૧ એપ્રીલઃ દિલ્લીમાં એક કરોડ લોકોને મફત રાશન આપવામાં આવશે. આ સંખ્‍યા દિલ્લીની કુલ વસ્‍તીના લગભગ પ૦ ટકા છે. દિલ્લી સરકાર આવા લોકોને પણ મફત રાશન આપશે જેમની પાસે રાશનકાર્ડ અથવા કોઇ અન્‍ય દસ્‍તાવેજ ઉપલબ્‍ધ નથી. દિલ્લીમાં હાલમાં ૭૧ લાખ રાશનકાર્ડ ધારકોને પ્રતિમાસ સાડા સાત કિલો અનાજ આપવામાં આવે છે.

મફત રાશન ઉપરાંત દિલ્લી સરકાર ગરીબોને ખાંડ-મીઠું-મસાલા વગેરે આપશે. મુખ્‍યમંત્રીએ કહ્યું દિલ્લીની વસ્‍તી લગભગ ર કરોડ છે, અમે લગભગ ૧ કરોડ લોકોને મફત રાશન આપવાનો નિર્ણય લીધો છે.

(12:00 am IST)