Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં વધુ 552 કેસ નોંધાતા કોરોના સંક્રમિતોની સંખ્યા 5218 થઈ

ગુજરાતની જેમ વધુ 19 લોકોના મોત થતા મૃત્યુઆંક 251 થયો

 

મુંબઈ : મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં વધુ 552 કેસ નોંધાતા કોરોના સંક્રમિતોની સંખ્યા 5218 થઈ છે. મોતનો આંક પણ ગુજરાતની જેમ 19 વધતાં કુલ મોતની સંખ્યા પણ 251 થઈ છે. દેશમાં આજે સૌથી વધારે કોરોના સંક્રમિતો મહારાષ્ટ્રમાં 552, ગુજરાતમાં 239, ઉત્તરપ્રદેશમાં 110 થયા છે રાજસ્થાનમાં પણ કોરોના સંક્રમિતોની સંખ્યા 83 પર પહોંચી છે તામિલનાડુમાં પણ કોરાના  સંક્રમણ વધતા નવા 76 કેસ ઉમેરાતાં કુલ સંખ્યા 1596 થઈ છે.

(10:08 pm IST)