Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

દેશમાં કોરોના સંક્રમિતનો આંક 20 હજારની નજીક : આજે વધુ 1418 કોરોના કેસ નોંધાયા

દેશમાં આજે વધુ 628 લોકોને કોરોનાથી મુક્તિ મળી

 

નવી દિલ્હી : કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં કહેર વર્તાવ્યો છે કોરોના સંક્રમણને કારણે દુનિયાના અનેક દેશો માં મૃત્યુઆંક પણ વધાયો છે વિશ્વના 25 લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે ત્યારે દેશમાં પણ કોરોનાનો આંક 20 હજારે પહોંચવા આવ્યો છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 19961 થઈ છે. દેશમાં આજે વધુ 1418 કેસ નોધાતા કોરોના સંક્રમણનો આંક આટલો બધો વધ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 49 લોકોના મોત થયા છે. દેશમાં આજે વધુ 628 લોકોને કોરોનાથી મુક્તિ મળી છે. દેશમાં હજુ પણ 15 હજારથી વધુ કેસ એક્ટિવ છે. દેશમાં સૌથી વધારે કેસો મહારાષ્ટ્રમાં નોંધાયા છે.

(10:08 pm IST)