Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

કર્ફયુને કારણે યુ.કે.પરત નહીં ફરી શકતાં NRI એ આત્મહત્યા કરી : 72 વર્ષીય અમરજીત સિંહ ફેબ્રુઆરી માસમાં પત્ની સાથે વતન પંજાબમાં આવ્યા હતાં

જલંધર : યુ. કે.માં પોતાના પરિવાર સાથે સ્થાયી થયેલા પંજાબના  જલંધરના વતની 72 વર્ષીય અમરજીત સિંહ ફેબ્રુઆરી માસમાં પત્ની સાથે વતનમાં આવ્યા હતા.પરંતુ કોરોના વાઇરસના કારણે વતનમાં કર્ફ્યુ લાદી દેવાતાં તેઓ ફસાઈ ગયા હોવાની લાગણી અનુભવતા હતા.પરિણામે કંટાળી જઈ તેઓએ ગળાફાંસો ખાઈ મોત મીઠું કરી લીધું હતું.તેમના પરિવારના અન્ય સભ્યો તમામ ઈંગ્લેન્ડમાં છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:11 pm IST)