Gujarati News

Gujarati News

News of Saturday, 21st December 2019

પૂ.મોરારીબાપુના વ્યાસાસને સાંજે મધ્યપ્રદેશમાં શ્રીરામ કથાનો પ્રારંભ

રાજકોટ, તા.૨૧: પૂ.મોરારીબાપુનાં વ્યાસાસને આજે સાંજથી મધ્યપ્રદેશમાં શ્રીરામ કથાનો પ્રારંભ થશે.

મધ્યપ્રદેશનાં ભીંડ જીલ્લાના શ્રીરાવતપુરા સરકારધામ ખાતે આજે તા.૨૧ના રોજ સાંજે ૪ વાગ્યે શ્રીરામ કથાનો પ્રારંભ થશે અને પ્રથમ દિવસે સાંજે ૭ વાગ્યા સુધી પૂ.મોરારીબાપુ શ્રીરામકથાનું રસતાન કરાવશે.

જયારે કાલે તા.૨૨ને રવિવારથી તા.૨૯ને રવિવાર સુધી દરરોજ સવારે ૯.૩૦ થી બપોરના ૧.૩૦ સુધી પૂ.મોરારીબાપુ શ્રીરામ કથાનું રસપાન કરાવશે.

શ્રી રામકથાનું આસ્થા ચેનલ ઉપરથી લાઇવ પ્રસારણ કરાશે.

(3:38 pm IST)