Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

કેરળનું ''દેવા માથા-૨'' નામનું જહાજ ૨૪૩ મુસાફરો સાથે જાન્યુઆરીથી પેસીફીક સમુદ્રમાં લાપતા

વિદેશ ખાતા દ્વારા પેસીફીક સમુદ્ર આસપાસના દેશોને માહિતગાર કરાયાઃ કોઇ ભાળ નથી

નવી દિલ્હીઃ કેરળના અર્ન્નાકુર્લમ જીલ્લામાંથી તા.૧૨ જાન્યુઆરીના રોજ નીકળેલ ''દેવા માથા-૨''નામનું જહાજ ૨૪૩ મુસાફરોને લઇને પેસીફીક મહાસાગરમાં લાપતા થઇ ગયું છે. મુસાફરોના સગા-સંબધીઓએ વિવિધ સરકારી ખાતાઓ અને વિદેશ ખાતામાં પણ આ અંગે સંયુકત આવેદન આપ્યું છે.

વિદેશ ખાતાના પ્રવકતા રવિશ કુમારના  જણાવ્યા મુજબ અમને રાજય સરકાર તરફથી આ અંગે માહિતી મળ્યા બાદ અમે પેસીફીક સમુદ્ર વિસ્તારના દેશોને જાણ કરી છે. અને આ જહાજ અંગે કોઇપણ માહિતી મળે તો આપવા વિનંતી કરી છે. પણ હજુ સુધી આ અંગે કોઇપણ દેશ પાસેથી જાણકારી મળી નથી. અમે આ ઘટના ઉપર સતત ધ્યાન આપી રહયા છે.

(3:43 pm IST)