Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

પતંજલિના ઘટતા વેચાણ હેવાલ ખોટા :કેટલીક કંપનીના અધિગ્રહણ પછી અમે વધુ આગળ વધશું : બાબા રામદેવ

નવી દિલ્હી :યોગ ગુરુ બાબા રામદેવે પતંજલિના ઘટતા વેચાણના આવેલ અહેવાલને ખોટા ગણાવ્યા હતા હાલમાં જ એક રિપોર્ટ સામે આવી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી પતંજલિ પ્રોડક્ટના સેલમાં ઘટાડો થયો છે. પરંતુ બાબા રામદેવ ઘ્વારા આ રિપોર્ટને ખોટી જણાવી દેવામાં આવી છે.

  બાબા રામદેવે કહ્યું કે હું એક ફકીર છું, જે દેશને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેમને કહ્યું કે પતંજલિનો બધો જ લાભ દેશ માટે છે. તેમને વેચાણ ઘટવાની ખબરને ખોટી ગણાવીને કહ્યું કે પતંજલિ 8000 કરોડ સુધી પહોંચી ગઈ છે. તેમને કહ્યું કે હજુ પણ કેટલીક કંપનીઓના અધિગ્રહણ પછી અમે આગળ વધીશુ.

(12:03 pm IST)