Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

યુપીના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન

અન્ય પક્ષની રેલીમાં જશો તો મારો શ્રાપ લાગશે, પીલિયા થશે

લખનૌ તા.૨૧: યુપીની યોગી આદિત્યનાથની સરકારના કેબિનેટ મંત્રી અને સુહેલદેવ ભારતીય સમાજ પક્ષના અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભર-પોતાના વિવાદાસ્પદ નિવેદનો અંગે ચર્ચામાં રહે છે એક વાર ફરી રાજભર પોતાના નિવેદનના કારણે ચર્ચામા આવ્યા છે તેઓએ બલિયા જીલ્લામાં આયોજીત એક રેલીને સંબોધિત કરીને કહ્યું કે જો કોઇ વ્યકિત અન્ય પક્ષની રેલીમાં જશે તો તેઓ તેને શ્રાપ આપશે અને તેને પીલિયા થઇ જશે.

તેઓના ભાષણનો એક વિડિયો સામે આવ્યો છે. તેમા તેઓ લોકોને કોઇ અન્ય પક્ષની રેલીમાં ન જવાનું કહેતા જોવા મળી રહ્યા છે.(૭.૧૦)

 

(1:14 am IST)